જિલ્લામાં ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન’ વેગવંતુ બન્યું
ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) બાળકોને થતા ડાયેરિયાના નિયંત્રિણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈન'' વર્ષ ૨૦૧૪થી ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિ
જિલ્લામાં ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન’ વેગવંતુ બન્યું


ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) બાળકોને થતા ડાયેરિયાના નિયંત્રિણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈન' વર્ષ ૨૦૧૪થી ઉજવવામાં આવે છે.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૬ જૂનથી ૩૧ જુલાઈ દરમિયાન તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને સેજાના ગામોમાં ‘સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન‘ શરૂ છે.

૦ થી ૫ વર્ષના બાળકોના થતાં મૃત્યુના કારણમાં ૧૫% 'ઝાડા' રોગ ભાગ ભજવે છે. ડાયેરિયા નિયંત્રણ પખવાડિયાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ઝાડાના કારણે થતાં મૃત્યુનો દર નીચે લઈ જવાનો છે.

આ અભિયાન અંતર્ગત એક પહેલ ‘ઝાડાને રોકવા, સફાઈ અને ઓ.આર.એસ.થી નિયંત્રણ રાખવું, રાખો પોતાનું ધ્યાન' વેગવંતુ કરાશે. જે અંતર્ગત ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવુત્તિઓ તેમજ ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર બનાવવામાં આવ્યાં છે.

જિલ્લામાં આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વય જૂથના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનો દ્વારા જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી એન બરુઆની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande