ગીર સોમનાથ 24 જૂન (હિ.સ.) યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 23-06-2025ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં દર્શન વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અધ્યક્ષરૂપે ઉપસ્થિત રહ્યા હતાં. બાહ્ય-વિષય નિષ્ણાંતરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર રાજેન્દ્ર ચોટલીયા, પ્રભારી શોધનિર્દેશક ડૉ. પંકજકુમાર રાવલ, દર્શન સંકાયના અધ્યક્ષ અને માર્ગદર્શકરૂપે ડૉ. જાનકીશરણ આચાર્ય, દર્શન વિષયના માર્ગદર્શકરૂપે અત્રેના ડૉ. બી. ઉમા મહેશ્વરી, યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત ‘દર્શનમ્’ સંશોધન કેન્દ્ર, છારોડીના ડૉ. લક્ષ્મીનારાયણ ભટ અને સભ્યસચિવરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન અત્રેના JRF શોધછાત્ર ઋત્વિક જાનીએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ