તાલાલા ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં, તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
તાલાલા, 24 જૂન (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તાલાલા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ રૂબરૂ પોતાનાં જ પ્રશ્નની આધાર- પુરાવાઓ સાથે એક જ વિષયને લગતા પ્રશ્નોની ર
તાલાલા ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં, તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


તાલાલા, 24 જૂન (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તાલાલા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ રૂબરૂ પોતાનાં જ પ્રશ્નની આધાર- પુરાવાઓ સાથે એક જ વિષયને લગતા પ્રશ્નોની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી.

અરજદારોએ રહેણાંક વિસ્તારમાં નિર્માણાધીન મોબાઈલ ટાવર અંગે, હિરણ-૨ ડેમ પરનો રસ્તો ખુલ્લો કરવા બાબત, જન્મના પ્રમાણપત્રમાં સુધારા બાબતે, ધાવાથી જાંબુર જતો જૂનો રસ્તો ખુલ્લો કરવા જેવી બાબતે પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

કલેક્ટરશએ તમામ પ્રશ્નો પરત્વે અરજદારોની રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી અને સંલગ્ન વિભાગના સંબંધિત અધિકારીઓને જનહિતલક્ષી કામગીરી દાખવી અને ત્વરિત જ પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરશએ અરજદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ અવે અને સમયમર્યાદામાં નિકાલ થાય એ દિશામાં કામ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાયબ કલેક્ટર-૧ એફ.જે.માંકડા, મામલતદાર સતિષ જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande