પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તા.25 જુનના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે છે.પાણી પુરવઠા મંત્રી તા.25 જુનના સવારે 10 કલાકે બિરલા હોલ પોરબંદર ખાતે સંવિધાન હત્યા દિવસ' અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે ત્યારબાદ અમીપુર ડેમ ખાતે મુલાકાત કરશે અને ત્યારબાદ માધવપુર ઘેડ ખાતેના સિંચાઈ તેમજ પાણી પુરવઠાના કામો અંતગર્ત મુલાકાત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya