પ્રધાનમંત્રી મોદી આજે શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની, ઐતિહાસિક વાતચીતના શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) દેશના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી ઉજવણી આજથી શરૂ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની નવી
નમો


નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) દેશના બે મહાન આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ, શ્રી નારાયણ ગુરુ

અને મહાત્મા ગાંધી વચ્ચેની ઐતિહાસિક વાતચીતના શતાબ્દી ઉજવણી આજથી શરૂ થવા જઈ રહી

છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં,

સમારોહનું ઉદ્ઘાટન કરવા સાથે સભાને સંબોધિત કરશે.

ભારત સરકારના પ્રેસ અને માહિતી

કાર્યાલય (પીઆઈબી) એ કાર્યક્રમની

પૂર્વસંધ્યાએ જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. ભારતીય જનતા પાર્ટી

(BJP) એ તેના એક્સહેન્ડલ પર ટોચના

પક્ષના નેતા અને વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનો ફોટો પણ શેર કર્યો છે.

પીઆઈબીના રિલીઝ અનુસાર, આ ઐતિહાસિક

વાતચીત 12 માર્ચ, 1925 ના રોજ મહાત્મા

ગાંધીની મુલાકાત દરમિયાન, શિવગિરિ મઠ ખાતે થઈ હતી. તેમાં વૈકોમ સત્યાગ્રહ, ધર્માંતરણ, અહિંસા, અસ્પૃશ્યતા

નાબૂદી, મુક્તિની

પ્રાપ્તિ, દલિત ઉત્થાન

વગેરે જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પ્રકાશનમાં કહેવામાં

આવ્યું છે કે,” શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત આ વૈચારિક

મહાકુંભમાં, આધ્યાત્મિક ગુરુઓ અને અન્ય સભ્યો હાજરી આપશે. તે બધા ભારતના સામાજિક

અને નૈતિક માળખાને આકાર આપતા સ્વપ્નદ્રષ્ટા સંવાદ પર વિચાર કરશે. આ વિચારો, શ્રી

નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી દ્વારા સમર્થિત સામાજિક ન્યાય, એકતા અને

આધ્યાત્મિક સંવાદિતાના સહિયારા દ્રષ્ટિકોણને એક મહત્વપૂર્ણ આદરાંજલિ હશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande