કલ્યાણપુરા શાળામાં શિક્ષકોના ઉદાસીન વલણ સામે વાલીઓનો તાળાબંધી વિરોધ
પાટણ, 24 જૂન (હિ.સ.)સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને નબળી શિક્ષણ ગુણવત્તાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શાળામાં ધોરણ 1થી 5માં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યાં ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે.
કલ્યાણપુરા શાળામાં શિક્ષકોના ઉદાસીન વલણ સામે વાલીઓનો તાળાબંધી વિરોધ


પાટણ, 24 જૂન (હિ.સ.)સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરી અને નબળી શિક્ષણ ગુણવત્તાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શાળામાં ધોરણ 1થી 5માં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યાં ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે. વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો નિયમિત રીતે શાળામાં હાજર રહેતા નથી અને બાળકોને યોગ્ય શિક્ષણ નથી આપતા.

આ ફરિયાદોને આધારે ગ્રામજનો અને વાલીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા શાળાને તાળાબંધી કરી દીધી છે. તેઓએ શિક્ષકોની બદલી કરીને નવા શિક્ષકોની નિમણૂક કરવાની જોરદાર માગ કરી છે. વાલીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી હાલના શિક્ષકોને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળામાં મોકલશે નહીં.

આ સ્થિતિને કારણે 200થી વધુ બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય અસ્પષ્ટ બની ગયું છે. શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે વાલીઓમાં નારાજગી વધી રહી છે. ગ્રામજનો હવે ઉચ્ચ અધિકારીઓ સુધી આ માંગ પહોંચાડવા માટે સજ્જ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande