પોરબંદરના રાણારોજીવાડા મકાનમાં તસ્કરો ત્રાટકીયા
પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ચોરીના બનાવો વધ્યા છે.ત્યારે રાણારોજીવાડા ગામે એક પરપ્રાંતિય યુવકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરી ગયા હતા મુળ મધ્યપ્રદેશના સુસનેર ગામના હાલ રાણારોજીવાડા ગા
પોરબંદરના રાણારોજીવાડા મકાનમાં તસ્કરો ત્રાટકીયા


પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ચોરીના બનાવો વધ્યા છે.ત્યારે રાણારોજીવાડા ગામે એક પરપ્રાંતિય યુવકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરી ગયા હતા મુળ મધ્યપ્રદેશના સુસનેર ગામના હાલ રાણારોજીવાડા ગામે કલર કામ કરતા રમેશ્વરજી ફુલચંદ ગર્જર નામનો યુવાન જયસુખભાઈ દલવાડીના મકાનમા કલર કામ કરવા માટે ગયો હતો તે દરમ્યાન તેમણે કાળા કલરના બેગમાં રાખેલ રૂ.45000ની રોકડ રકમ અને રૂ.7 હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ.52500ના મુદામાલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande