ગાંધીનગર, 24 જૂન (હિ.સ.)- રાજ્યમાં
સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી
શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા
છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ 10અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી
છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા
પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી
કરવામાં આવશે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું
હતું.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે
જે ધો 10અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની
મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની
પૂરક પરીક્ષાનું આયોજન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે