વલસાડ પુસ્તક પરબ દ્વારા સાહિત્યકાર મણિલાલ હ.પટેલનું વક્તવ્ય તથા ગ્રંથદાતા સન્માન કાર્યક્રમ યોજાયો
વલસાડ, 24 જૂન (હિ.સ.)- વલસાડના સાહિત્ય રસિકો માટે પુસ્તક પરબની શરૂઆત તા. 23 એપ્રિલ 2022ના દિને વિશ્વ પુસ્તક દિવસે થઈ હતી. દર મહિનાના પહેલા રવિવારે બે જાહેર સ્થળોએ યોજાતી. આ પુસ્તક પરબનું વિચારબીજ સાહિત્યકાર મણિલાલ હ.પટેલએ રોપ્યુ હતું. તાજેતરમાં વ
Valsad


વલસાડ, 24 જૂન (હિ.સ.)- વલસાડના સાહિત્ય રસિકો માટે પુસ્તક પરબની શરૂઆત તા. 23 એપ્રિલ 2022ના દિને વિશ્વ પુસ્તક દિવસે થઈ હતી. દર મહિનાના પહેલા રવિવારે બે જાહેર સ્થળોએ યોજાતી. આ પુસ્તક પરબનું વિચારબીજ સાહિત્યકાર મણિલાલ હ.પટેલએ રોપ્યુ હતું.

તાજેતરમાં વલસાડ પુસ્તક પરબને 8000 જેટલા પુસ્તકોનું માતબર દાન મનીષભાઈ પરમાર (જામનગર) હાલ રહે. વલસાડ દ્વારા પ્રાપ્ત થયું છે. આ પુસ્તકોથી પુસ્તક પરબ વલસાડ વધુ સમૃદ્ધ બન્યું છે. ગ્રંથદાતા તરીકે મનીષભાઈને બિરદાવી ઋણ સ્વીકાર કરવાનો તથા સતત બે વર્ષથી વલસાડ પુસ્તક પરબને સ્વયંસેવક તરીકે સેવા પુરી પાડતા વલસાડ આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અમન ગોહિલ, તેજલ પાડવી અને રાધિકા ચિહલાને મણિલાલ હ.પટેલના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા.

વલસાડમાં આયોજિત આ કાર્યક્રમમાં ચીખલી પુસ્તક પરબ ટીમના ટીના પટેલ, હિતેશ પટેલ, બીલીમોરાથી રીટા દાદાવાલા, વલસાડના મૂર્ધન્ય કવિ ઉશનસના દીકરી ચિત્રાબેન, સાહિત્યરસિક રણજીત દેસાઈ, હાસ્ય કલાકાર રમેશ ચાંપાનેરી, સોનલ સરવૈયા, હરેશ દેસાઈ, સુનિલ પટેલ, અમીષા, દક્ષા, વિશ્વા, નીલમભાઈ ખોબા તથા પુસ્તક પરબના વાચકોની ઉપસ્થિતિમાં મણીલાલ હ.પટેલે ‘‘સાહિત્યને સગપણ શાનું?’’ વિષય પર રસપ્રદ વાતો ઊંડાણથી રજૂ કરી હતી. વરસતાં વરસાદમાં આયોજિત આ કાર્યક્રમમાં સૌ રસતરબોળ થઈ ગયા હતા. પુસ્તક પરબ વલસાડના પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ.આશા ગોહિલ તથા હાર્દિક પટેલ, દેવરાજ બાપા, દિલીપ દેસાઈ, જયંતી મિસ્ત્રી, અર્ચના ચૌહાણ, વિલ્સન મેકવાન સહિત ટીમના સભ્યોની મહેનત રંગ લાવી હતી.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યકારોના કાવ્ય, વાર્તા, નિબંધ, નવલકથાના ઉલ્લેખ સાથે વિશેષ વાતો સાંભળવાનો રોમાંચ અદભુત રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande