જૂનાગઢ- જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનની ત્રણ દિવસીય તાલીમ અને પ્રવાસનું આયોજન
જૂનાગઢ, 25 જૂન (હિ.સ.) પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂના
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ


જૂનાગઢ, 25 જૂન (હિ.સ.) પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લા અંતર્ગત ક્લસ્ટરની કૃષિ સખી અને (CRP) કોમ્યુનિટી રિસોર્સ પર્સનની ત્રણ દિવસીય તાલીમ અને બે દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત માળિયા, માંગરોળ અને કેશોદ તાલુકાની કૃષિ સખી અને (CRP) કુલ ૭૦ તાલીમાર્થીઓને રામ પ્રાકૃતિક ફાર્મ ગળોદર તથા વિસાવદર અને ભેસાણ તાલુકાની કૃષિ સખી અને (CRP) કુલ ૫૪ તાલીમાર્થીઓને બલરામ પ્રાકૃતિક ફાર્મ મોટા કોટડા, વિસાવદર ખાતે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.

જે તાલીમાર્થીઓ તાલીમ મેળવી તેમના ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરમાં અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ અને માર્ગદર્શન આપી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગેની જાગૃતતા લાવવાની કામગીરી કરશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લામાં ત્રણ- ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટરની રચના કરવામાં આવેલ છે. આ ક્લસ્ટરમાં પ્રાકૃતિક કૃષિની જાગૃતતા લાવવા ક્લસ્ટર દીઠ એક કૃષિ સખી અને એક (CRP) ની પસંદગી કરવામાં આવેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande