પટના/નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.) : બિહારથી દિલ્હી જઈ રહી એક ડબલ ડેકર બસ ગુરુવારે ઇટાવાના સૈફ વિસ્તારમાં અનિયંત્રિત થઈ પલટાઈ ગઈ. અકસ્માતમાં એક નેપાળી મહિલાસહિત બે લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક બુજેશકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે ઘટના સૈફઈ વિસ્તારના આગરા-લખનૌ એક્સપ્રેસ-વે પર બની છે, જ્યાં બિહારના મધુબનીથી દિલ્હી જઈ રહી ડબલ ડેકર બસ અકસ્માતનો ભોગ બની. ઘટનામાં બસમાં સવાર બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ ઘાયલ થયા છે. ઘટના સ્થળે પહોંચી પોલીસએ ઘાયલોને સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યા છે. ઘાયલોમાં કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાયું છે.
મૃતક મુસાફરોની ઓળખ સરૈદા ખાતૂન નિવાસી નેપાળ અને મનોજકુમાર નિવાસી દરભંગા, બિહાર તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે અકસ્માતનું મુખ્ય કારણ બસના ડ્રાઈવરને ઝોકું આવી જવું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ