-કટોકટીની 5૦મી
વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ ભાષણ આપ્યું
નવી દિલ્હી, 26 જૂન (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી
નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે,” 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન
લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને
તેનાથી પ્રેરિત સંગઠનોએ તેને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.” તેમણે કહ્યું
કે,” આજના યુવાનોએ કટોકટી અને તેની સાથે સંકળાયેલા ભયાનક ઇતિહાસને જાણવો અને સમજવો
જોઈએ.”
કેન્દ્રીય મંત્રી ગડકરી કટોકટીની 5૦મી વર્ષગાંઠ પર બહુભાષી
સમાચાર એજન્સી હિન્દુસ્થાન સમાચારના નેજા હેઠળ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે
આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ગડકરીએ કહ્યું કે,” તત્કાલીન
વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ, પોતાની સત્તા બચાવવા માટે બંધારણની મૂળ ભાવના બદલી નાખી, પ્રેસ, સંસદ અને
ન્યાયતંત્ર પર દબાણ લાવવામાં આવ્યું.” તેમણે કહ્યું કે,” તે સમયગાળા દરમિયાન ભયનું
એવું વાતાવરણ હતું કે, લોકો તેમના અધિકારો માટે અવાજ પણ ઉઠાવી શકતા ન હતા.”
ગડકરીએ કહ્યું કે,” તેઓ 1975માં મેટ્રિકના વિદ્યાર્થી હતા
અને કટોકટીની સવારે અખબારો છપાતા નહોતા. તે સમયગાળા દરમિયાન હજારો નિર્દોષ લોકોને
જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો રદ
કરવામાં આવ્યા હતા. પોલીસની ગોળીથી માર્યા ગયેલા વ્યક્તિને પણ ન્યાય મેળવવાનો
અધિકાર નહોતો.”
જયપ્રકાશ નારાયણ દ્વારા, શરૂ કરાયેલા ભ્રષ્ટાચાર વિરોધી
આંદોલનની ચર્ચા કરતા તેમણે કહ્યું કે,” બિહાર આ આંદોલનના કેન્દ્રમાં હતું, જેમાં ઘણા
વિદ્યાર્થી સંગઠનો અને સંઘ પ્રેરિત કાર્યકરોએ ભાગ લીધો હતો. તેમણે ભૂતપૂર્વ
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે, વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાય અને સામાજિક કાર્યકર કે.એન.
ગોવિંદાચાર્ય જેવા નેતાઓના યોગદાનને પણ યાદ કર્યું.”
ગડકરીએ કહ્યું કે,” જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે રાયબરેલીની
ચૂંટણીમાં સરકારી મશીનરીના દુરુપયોગ પર ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો, ત્યારે રાજીનામું
આપવાને બદલે, તેમણે દેશ પર કટોકટી લાદી.” તેમણે કહ્યું કે, ઈન્દિરા ભારત છે, ભારત ઈન્દિરા
છે જેવા નારાઓ દ્વારા, ચાપલૂસીની ચરમસીમા જોવા મળી. આ સમયગાળા દરમિયાન, કોંગ્રેસે ભારતીય
બંધારણને ફાડી નાખ્યું, જ્યારે આજે તે જ
પક્ષના નેતાઓ અન્ય લોકો પર બંધારણ બદલવાનો આરોપ લગાવે છે.
ગડકરીએ કહ્યું કે,” કટોકટીનો વિરોધ કરનારાઓમાં અટલ બિહારી
વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ
ફર્નાન્ડિસ જેવા નેતાઓ પણ હતા, જેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હજારો સંઘ કાર્યકરોએ
ભૂગર્ભમાં રહીને લોકશાહીના રક્ષણ માટે લડત આપી હતી.” તેમણે કહ્યું કે,” કટોકટીના 50 વર્ષ આપણને યાદ
અપાવે છે કે, લોકશાહી ફક્ત કાયદા દ્વારા જ નહીં, પરંતુ લોકોના વિશ્વાસ, સંઘર્ષ અને
બલિદાન દ્વારા પણ સુરક્ષિત છે. તેમણે યુવાનોને આ ઇતિહાસ જાણવા અને લોકશાહીના રક્ષણ
માટે સતર્ક રહેવા વિનંતી કરી.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ