અકસ્માતમાં ઘવાયેલ વ્યકિતને તાત્કાલિક એક કલાક (ગોલ્ડન અવર) માં મદદ કરનાર વ્યકિતને, સરકાર તરફથી સન્માનિત કરવામાં આવશે
જૂનાગઢ 27 જૂન (હિ.સ.) જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષ નીલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, દિન- પ્રતિદિન માર્ગ અકસ્માતથી લોકોના મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ગંભીર બાબત છે. માર્ગ અ
અકસ્માતમાં ઘવાયેલ વ્યકિતને તાત્કાલિક એક કલાક (ગોલ્ડન અવર) માં મદદ કરનાર વ્યકિતને, સરકાર તરફથી સન્માનિત કરવામાં આવશે


જૂનાગઢ 27 જૂન (હિ.સ.) જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષ નીલેશ જાજડીયા તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, દિન- પ્રતિદિન માર્ગ અકસ્માતથી લોકોના મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ગંભીર બાબત છે. માર્ગ અકસ્માતમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એક અમૂલ્ય માનવ જીવન તથા એક પરિવાર પોતાના સ્વજનને અને રાષ્ટ્ર પોતાના નાગરિકને ગુમાવતો હોય છે. જેના નુકશાનની કોઈપણ પ્રકારે ભરપાઇ થઇ શકતી નથી.

માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક એક જ કલાક (ગોલ્ડન અવર) માં મેડીકલ સારવાર પ્રાપ્ત થાય તો અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય છે. જેથી માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને મદદ કરવા લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે ઉદેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા Scheme for Grant of Award to the Good Samaritan* યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓની મદદ કરવા માટે લોકો વધુમાં વધુ આગળ આવે તે રહેલો છે.

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યક્તિ દ્વારા માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને મદદ કરવામાં આવેલી હોય, તો તે મદદ કરનારી વ્યક્તિને આ યોજનાના ધારાધોરણ મુજબ સન્માન રાશિ રૂ. ૫૦૦૦/- રોકડા DBT ના માધ્યમથી ચુકવવામાં આવશે. સાથોસાથ તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મળવાપાત્ર રાશિ તથા પ્રસંશાપત્ર એક જ અઠવાડિયામાં આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને મદદ કરનારી વ્યકિતનું જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડ કે અન્ય પદાધિકારીઓ દ્વારા જાહેરમંચ પરથી સન્માન કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય અકસ્માત સમયે ઘવાયેલા વ્યકિતને મદદ કરનારી વ્યકિતઓને આત્મ સંતોષ મળે અને ઘવાયેલા વ્યકિતને તાત્કાલિક સારવાર મળવાથી એક અમુલ્ય માનવ જીવન બચાવી શકાય છે.

જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આ સંદેશાનું પાલન કરે અને માર્ગ અકસ્માતમાં ઘવાયેલા હતભાગીઓ પ્રત્યે માનવીય અભિગમ કેળવે, માર્ગ અકસ્માત રોકવા માટે આગળ વધે, આ યોજનાનો મહત્તમ લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવે છે. તેમ પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી, શહેર ટ્રાફિક શાખા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande