ચંડીગઢ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.)
પંજાબના ગુરદાસપુરમાં ગઈકાલે રાત્રે સશસ્ત્ર યુવાનોએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની
માતા હરજીત કૌર અને તેના સાથી કરણવીર સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી. બંબીહા
ગેંગે, આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. કરણવીરના પિતા પંજાબ પોલીસમાં પોલીસ
સ્ટેશનના ઇન્ચાર્જ છે. પોલીસ આ હત્યાને ગેંગ વોરનું પરિણામ માની રહી છે. તાજેતરમાં
લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારના જૂથ વચ્ચે થયેલા વિવાદ પછી આ પહેલી ગેંગસ્ટર
હત્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, “હરજીત કૌર કોઈ કામ માટે કરણવીર સિંહ સાથે જઈ રહી હતી.
તેમની કાર અર્બન સ્ટેટના કાદિયાં ચુંગી નજીક પહોંચી ત્યારે જ ઓચિંતો હુમલો કરીને
બેઠેલા હુમલાખોરોએ, અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હરજીત કૌર અને કરણવીર સિંહનું
ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ગુરદાસપુર જિલ્લાને સીલ કરી દીધો છે અને તપાસ શરૂ
કરી છે.”
આજે સવારે હરિયાણાના બે કુખ્યાત ગેંગસ્ટરો, પ્રભુ દાસુવાલ
અને કૌશલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. બંને બંબીહા
ગેંગ માટે કામ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ