પંજાબમાં ગેંગસ્ટર, જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને તેના સાથીની હત્યા
ચંડીગઢ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) પંજાબના ગુરદાસપુરમાં ગઈકાલે રાત્રે સશસ્ત્ર યુવાનોએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા હરજીત કૌર અને તેના સાથી કરણવીર સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી. બંબીહા ગેંગે, આ હત્યાની જવાબદારી સ્વી
પંજાબમાં ગેંગસ્ટર, જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને તેના સાથીની હત્યા


ચંડીગઢ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.)

પંજાબના ગુરદાસપુરમાં ગઈકાલે રાત્રે સશસ્ત્ર યુવાનોએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની

માતા હરજીત કૌર અને તેના સાથી કરણવીર સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી. બંબીહા

ગેંગે, આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. કરણવીરના પિતા પંજાબ પોલીસમાં પોલીસ

સ્ટેશનના ઇન્ચાર્જ છે. પોલીસ આ હત્યાને ગેંગ વોરનું પરિણામ માની રહી છે. તાજેતરમાં

લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારના જૂથ વચ્ચે થયેલા વિવાદ પછી આ પહેલી ગેંગસ્ટર

હત્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “હરજીત કૌર કોઈ કામ માટે કરણવીર સિંહ સાથે જઈ રહી હતી.

તેમની કાર અર્બન સ્ટેટના કાદિયાં ચુંગી નજીક પહોંચી ત્યારે જ ઓચિંતો હુમલો કરીને

બેઠેલા હુમલાખોરોએ, અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હરજીત કૌર અને કરણવીર સિંહનું

ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ગુરદાસપુર જિલ્લાને સીલ કરી દીધો છે અને તપાસ શરૂ

કરી છે.”

આજે સવારે હરિયાણાના બે કુખ્યાત ગેંગસ્ટરો, પ્રભુ દાસુવાલ

અને કૌશલ ચૌધરીએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. બંને બંબીહા

ગેંગ માટે કામ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande