સુરત , 29 જૂન (હિ.સ.)-સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં રહેતા 43 વર્ષીય પંચુ ઉદય રાહુલનો અચાનક અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ગત બપોરે પંચુભાઈએ ભોજન કર્યા બાદ ઘરમાં ઊંઘવા ગયા હતા. બાદમાં પરિવારજનો તેમને જગાડવા ગયા તો કોઈ પ્રતિસાદ ન મળતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી અને ઇ.એમ.ટી. દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૂળ ઓડિશાના વતની રહેલા પંચુભાઈ સુરતમાં મજૂરી કામ કરીને, પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના એક પુત્ર અને એક પુત્રી છે. આ ઘટનાએ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે