પોરબંદર, 29 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ.ડી.ધાનાણીએ જિલ્લાના રોજીવાડા, સિમર અને ભોમિયાવદરની શાળામાં બાળકોને આવકારી પ્રવેશ કરાવ્યો હતો.જિલ્લાના કલેક્ટરએ રાણા રોજીવાડા પ્રાથમિક શાળા ખાતેથી 13 બાળકોને આંગણવાડીમાં,15 બાળકોને બાલવાટિકા,
15બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવ્યો હતો. તેમજ સિમર પ્રાથમિક શાળા ખાતેની શાળાએથી 5 બાળકોને આંગણવાડીમાં,11બાળકોને બાલવાટિકા અને 12 બાળકોને ધોરણ 1 માં પ્રવેશ અપાવ્યો હતો અને ભોમિયાવદર પ્રાથમિક શાળા ખાતેથી 7 બાળકો આંગણવાડીમાં,6 બાળકોને બાલવાટિકા અને 22 બાળકોને ધોરણ 1 માં પ્રવેશ અપાવ્યો હતો.કલેક્ટરે વાલીઓ અને શિક્ષકોને જણાવ્યું હતું કે બાળકોમાં સારા સંસ્કાર અને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે શિક્ષકોએ પુરુષાર્થ કરવાનો છે. સરકાર દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણલક્ષી અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. વાલીઓએ પોતાના બાળકના શિક્ષણ પર પણ દેખરેખ રાખી દરરોજ બાળક શાળામાં આવે,નિયમિત હાજર રહે તે માટે પણ દેખરેખ રાખવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે કલેકટરએ બેઠક કરી હતી અને શિક્ષણના પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya