પોરબંદર, 3 જૂન (હિ.સ.) પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં, તા.06/06/2025, શુક્રવારના જયેષ્ઠ શુક્લ એકાદશી (નિર્જલા એકાદશી)ના રોજ શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથના દર્શન યોજાશે.
આ આયોજન મુજબ શ્રીહરિ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભોગ લગાવવામાં આવશે. આ આંબા મનોરથના દર્શનનો સમય સવારે 08:00 થી 01:00 સાંજે 4:30 થી 8:00 સુધી દર્શન થશે. આંબા મનોરથ નિમિત્તે ઉત્સવ આરતી સવારે 11:00 વાગ્યે તથા સાંજે 07:00વાગ્યે સંપન્ન થશે. આ વિશેષ આંબા મનોરથના ઉત્સવ દર્શનનો લ્હાવો લેવા માટે સર્વે હરિ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya