પોરબંદર, 3 જૂન (હિ.સ.) પોરબંદર શહેરમાં દર્દીની સારવાર યોગ્ય રીતે ન કરવાના મનદુઃખ ને લઈને યુવાન પર હુમલો થતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.પોરબંદર શહેરમાં સામાન્ય બાબતે મારામારીના અનેક બનાવો સામે આવે છે.
ત્યારે પોરબંદર શહેરના સુદામા ચોક વિસ્તારમાં આવેલ ડોક્ટરે દર્દીની યોગ્ય સારવાર ન કરી હોવાના મનદુઃખ ને લઈ ને કિરણસિંહ તખુભા જાડેજા નામના શખ્સે દવાખાના માં કામ કરતા અરુણભાઈ હાજાભાઈ આત્રોલિયા નામના યુવાનને કપાડના ભાગે લાકડી તથા ઢીકા-પાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા અરુણભાઈ હાજાભાઈ આત્રોલિયાએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે કિરણસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાફ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya