જિલ્લા અને તાલુકા કક્ષાએ, નાગરિક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે –પાટણ
પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં નાગરિકોની ફરિયાદોની સુનાવણી અને નિવારણ માટે બે સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ 25 જૂન 2025ના રોજ સવારે 11 વાગ્યે સંબંધિત મામલતદાર કચેરીઓમાં યોજાશે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 26
પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ


પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં નાગરિકોની ફરિયાદોની સુનાવણી અને નિવારણ માટે બે સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાનો કાર્યક્રમ 25 જૂન 2025ના રોજ સવારે 11 વાગ્યે સંબંધિત મામલતદાર કચેરીઓમાં યોજાશે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 26 જૂન 2025ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરી, પાટણ ખાતે યોજાશે.

ફરિયાદદારોએ પોતાની અરજી બે નકલમાં 10 જૂન 2025 સુધીમાં જમા કરાવવાની રહેશે. તાલુકા કક્ષાની અરજીઓ મામલતદાર કચેરીમાં અને જિલ્લા કક્ષાની અરજીઓ કલેક્ટર કચેરીમાં જમા કરાવવાની રહેશે. અરજદારોએ કાર્યક્રમના દિવસે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત રહેશે. ચાણસ્મા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટરશ્રીના અધ્યક્ષપણે અને સમી તાલુકાનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષપણે યોજાશે, જ્યારે અન્ય તાલુકાઓમાં સંબંધિત લાયઝન અધિકારી અધ્યક્ષ રહેશે.

અરજીઓમાં માત્ર એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે અને અરજીમાં અરજદારોના મોબાઈલ નંબર તેમજ જરૂરી દસ્તાવેજો જોડેલા હોવા આવશ્યક છે. નોંધનીય છે કે, કર્મચારીઓની નોકરી, કોર્ટ કેસ, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતો તેમજ અગાઉ રજૂ થયેલા પ્રશ્નો મંજૂર નહીં થાય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande