પાટણમાં જર્જરિત દુકાનો સામે, તાત્કાલિક કાર્યવાહીનો નિર્ણય
પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા પ્રમુખે શહેરમાં આવેલી જર્જરિત દુકાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નગરપાલિકાની માલિકીની દુકાનો અંગે મળેલી ફરિયાદોના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોનું સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરા
પાટણમાં જર્જરિત દુકાનો સામે તાત્કાલિક કાર્યવાહીનો નિર્ણય


પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકા પ્રમુખે શહેરમાં આવેલી જર્જરિત દુકાનો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નગરપાલિકાની માલિકીની દુકાનો અંગે મળેલી ફરિયાદોના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોનું સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરાઈ છે. જેમાં બગવાડા દરવાજાથી સુભાષ ચોક વચ્ચે આવેલા વાદી સોસાયટી મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, તિરુપતિના નાકે આવેલું પશુભુવન કોમ્પ્લેક્સ અને રાજમહેલ રોડ પરનું પાલિકા બજાર જેવા કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.

સિવિલ એન્જિનિયર મોનિલભાઈ પટેલ અને તેમની ટીમને આ દુકાનોનું સ્થળ નિરીક્ષણ કરવાનો આદેશ અપાયો છે. તેઓ જર્જરિત દુકાનોની ઓળખ કરીને તેનો રિપોર્ટ નગર નિયોજક જીતેશભાઈ વોરા અને ટાઉન પ્લાનિંગ શાખાને સોંપશે. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ શાખા અને સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે મળીને જર્જરિત દુકાનોને તાત્કાલિક સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

પાલિકા પ્રમુખે ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય અને કોઈ જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. આ હુકમનું પાલન સિવિલ એન્જિનિયર, નગર નિયોજક અને સેનેટરી ઇન્સ્પેક્ટરે સંયુક્ત રીતે કરવાનું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande