જૂનાગઢ, 3 જૂન (હિ.સ.) જેસીઆઈ જુનાગઢ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓને માટે રાહત દરે ઊંચામાં ઊંચી ક્વોલિટી નીચામાં નીચા ભાવ થી ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવે છે. તારીખ 31 .5. 2025 ના રોજ આઝાદ ચોક ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ ના સંચાલક ઋષિકેશ સ્વામીજી તથા પૂજ્ય જય નારાયણ સ્વામીજી.ના હસ્તે આ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય ઋષિકેશ સ્વામીજીએ જેસીઆઈની આ સેવા પ્રવૃત્તિને બિરદાવી અને શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવેલા હતા.
મહારાજ જેસીઆઈના તમામ સભ્યોને સેવા પ્રવૃત્તિ કરવા માટે બળ પ્રદાન કરે અને તંદુરસ્તી આપે તેવી પણ પ્રાર્થના કરી હતી. આ તકે ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલીયા તથા અમિત ચરાડવા,gtpl ન્યૂઝ ચેનલના સંજીવ મહેતા ડો. પૂજા ટાંક, ડો.જય રાણીંગા, દર્પણભાઈ બારૈયા, ભરતભાઈ કડેચા , સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુકબાપુ, કમલેશભાઈ પંડ્યાએ આ કાર્યને બિરદાવેલ.
આ નોટબુક વિતરણ કાર્યક્રમમાં મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, જેસી કિશોર ચોટલીયા, પ્રમુખ જેસી ડો. મોહિત જોશી મંત્રી જેસી જગદીશ મદનાની, જેસી વિરલ કડેચા, જેસી ચિરાગ કડેચા, જેસી યતીન કારીયા જેસી રાજેશ પુરોહિત જેસી રવી ધીણોજા, જેસી ચેતન સાવલિયા, બ્લડ બેન્ક વાળા, નલીનભાઈ આચાર્ય, કિશોરભાઈ કાચા વગેરે એ આ વિતરણ કાર્યક્રમમાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ નોટબુક વિતરણ હાલમાં નીચેના બે સ્થળોએ સવારે 10:30 થી 1 અને બપોર પછી 4:30 થી 8 સુધી ચાલુ રહેશે.
1 કે.ડી. જ્વેલર્સ, રાણાવાવ ચોક,
2 અશ્વિન કાપડનો શોરૂમ,પોસ્ટ ઓફિસ રોડ , હનુમાન મંદિર પાસે
આગામી તારીખ 6 અને 7 જુન શુક્રવાર અને શનિવારના રોજ સવારે 10 થી સાંજના સાત કલાક સુધી આઝાદ ચોક ખાતે ફરીથી વિતરણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ