પોરબંદર, 3 જૂન (હિ.સ.)પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર જગ્યા મુદો હવે પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર સુધી વધુ એકવાર આવ્યો છે આ વખતે રાજીવનગરના લોકો લડી લેવાના મુડમા છે તો બીજી તરફ પ્રજાપતિ અને પટેલ સમાજના લોકો આવેદન પત્રો આપી રજુઆતો કરી રહ્યાં છે બે સંસ્થા વચ્ચે નિકળતી પાણીના નિકાલની ગટરનો મામલે હવે સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે.
પોરબંદરમાં ગત ચોમાસે પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં પુર જેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ સૌથી સમસ્યા રાજીવનગરમાં જોવા મળી હતી રાજીવનગરમાંથી પાણીનો નિકાલ ના થતાં ઘરવખરી અને ઇલેટ્રોનિક સાધનોને મોટી નુકસાની વેઠવી પડી હતી ત્યારે આ વખતે આ પ્રશ્ન ઉપતપત્ન ના થાય તે માટે ગત સપ્તાહએ રાજીવનગરના લોકોએ કલેકટર અને પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરે રજુઆત કરી હતી આ ઉપરાંત રાજીવનગરના રહેવાસીઓએ ચીમકી આપી છે કે ટુંક સમયમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી થાય તો રસ્તા રોકો આંદોલન કરીશુ તેમ જણાવ્યુ હતુ તો બીજી નેશનલ હાઇવેના નીચેથી નિકળતું ગરનાળુ મુખપટેલ સમાજ અને પ્રજાપતિ નજીક જે ટ્રેનેજ ગટરની જગ્યા મામલે પોરબંદર મનપા દ્વારા બંન્ને સંસ્થાને નોટીસો આપી હતી તે બાદ ડ્રેનેજ ગટર ઉપર થયેલુ બાંધકામ પ્રજાપતિ સમાજ દ્વારા દુર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તે સાથે સાથે સોમવારે પ્રજાપતિ સમાજના આગેવાનોએ મનપા કમિશ્નરને આવેદન પત્ર આપી મીડીયા સમક્ષ જણાવ્યુ હતુ પ્રજાપતિ સમાજે ચાર ફુટ જગ્યાએ પેલેથીજ ડ્રેનેજ ગટર મુકેલ છે જેમાંથી પાણી નિકાલ થાય છે બાજુ સંસ્થા દ્વારા ચાર ફુટ જગ્યા પાણી નિકાલ માટે આપે તો બંન્ને સાથેની ચાર ચાર ફુટ થઈ જાય અને પાણીનો નિકાલ યોગ્ય થાય તેમ જણાવ્યુ હતુ તો બીજી તરફ આજે મંગળવારે પટેલ સમાજ દ્વારા મનપાએ આપેલ નોટીસો લેખિતમા જવાબ આપવા આગેવાનો સાથે પહોચ્યા હતા પટેલ સમાજ જણાવ્યુ કે, પટેલ સમાજની જગ્યામાં નિયમોનુસાર બાંધકામ કરેલ છે પટેલ સમાજની જગ્યામાં ક્યાંય અવરોધ નથી બાજુમાં 1972માં કલેકટર જુનાગઢે બાજુની સંસ્થાને જમીન આપી જેમાં પાણીના નિકાલના ગળનારા હતા તેને યથાવત જાળવી રાખી તેમ કોઇ બાંધકામ ના કરી તે શરતે જમીન અપાઇ હતી હાલ જોઈએ તો ગળનારા ઉપર બાંધકામ થયેલ જોવા મળે છે છેવડ સુધી આરસીસી સ્લેક બનાવેલ છે જેના કારણે પાણીનો ફોર્સ જે રીતે વધુ ફોર્સથી જવો જોઇએ તે નથી અને અવરોધ થાય છે આમ છતાં પટેલ સમાજ માનવતાના ધોરણે પાછળની 3થી3.5 ફુટ જગ્યા આપવા તૈયાર છે.
*બંન્ને સંસ્થા સહકાર આપવા
વિનંતી: કમિશ્નર*
પોરબંદરના મનપા કમિશ્નર એચ.જે.પ્રજાપતિ જણાવ્યુ કે, બંન્ને સંસ્થાઓને વરસાદી પાણીના નિકાલની જગ્યા અન્વયે નોટીસો આપવામાં આવી હતી બંન્ને સંસ્થા દ્વારા જવાબ આપવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરવામાં આવશે તેમજ પાણી નિકાલનું કર્લવટ (ગળનારાનો) ભાગ છે, તેનુ મુખ પટેલ સમાજ વાડી સામે ખુલ્લે છે જેથી પટેલ સમાજની જગ્યા છે તેમાંથી વરસાદી પાણીની નિકાલ જગ્યા મળે તે જરૂરી છે પ્રજાપતિ સમાજ નજીક ચાર ફુટની જગ્યા છોડેલી છે પટેલ સમાજ સહકાર આપે તેવી અપીલ સાથે બંન્ને સંસ્થા વરસાદી પાણીના નિકાલ માટે સહકાર આપે તે શહેરીજનોના હિતમા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya