વલસાડ, 3 જૂન (હિ.સ.)-વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મિલકતવેરા વસુલાતમાં રિબેટ સ્કીમ આપવાની યોજના અમલમાં મુકાય છે. જેનો પ્રથમ દિવસે જ વલસાડના નગરજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ યોજનાની શરૂઆત વલસાડ નગરપાલિકા ઉપપ્રમુખ આસુતોષ મિશ્રાના હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશિષ દેસાઈ અને વલસાડ નગરપાલિકાના મહિલા સભ્ય અલ્કા દેસાઈ સહિત નગરપાલિકાના સુપ્રિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં સરકારશ્રીની મંજુરી મુજબ ફક્ત જૂન-2025માં મિલકત વેરાના 10% રીબેટ સ્કીમનો અમલ કરવામાં આવ્યો છે, જેનો વધુમાં વધુ શહેરીજનોને લાભ લેવા નગરપાલિકાના હાઉસ ટેક્ષ ડિપાર્ટમેન્ટની અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે