ભારતીય સેનાએ પૂંછ-રાજૌરી સેક્ટરમાં, જૈશની ઘૂસણખોરીની યોજના નિષ્ફળ બનાવી, બે આતંકવાદીઓને ઠાર માર્યા, ગાઇડને પકડ્યો
જમ્મુ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ-રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર જૈશ-એ-મોહમ્મદની ઘૂસણખોરીની યોજના નિષ્ફળ બનાવી. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા અને એક ગાઇડને પકડી લેવામાં આવ્યો. ઘટ
જહલમપપ


જમ્મુ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.)

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ-રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર

જૈશ-એ-મોહમ્મદની ઘૂસણખોરીની યોજના નિષ્ફળ બનાવી. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા

ગયા અને એક ગાઇડને પકડી લેવામાં આવ્યો. ઘટનાસ્થળેથી શસ્ત્રો અને દારૂગોળોનો જથ્થો

પણ જપ્ત કરવામાં આવ્યો છે.

ભારતીય સેનાએ આજે ​​જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું

કે,” 29 જૂને, ગુપ્તચર માહિતીના

આધારે સૈનિકોએ રાજૌરીના કેરી સેક્ટરમાં, એક જાણીતા ઘૂસણખોરી માર્ગ પર શંકાસ્પદ

ગતિવિધિઓ શોધી કાઢી હતી. અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પર નજીકથી નજર

રાખવામાં આવી રહી છે. સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા છુપાયેલા, હથિયારોથી

સજ્જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને ગોળીબાર કર્યો હતો.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” આના કારણે જૈશને ભારે

જાનહાનિ થઈ છે. પ્રારંભિક અહેવાલોમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ માર્યા ગયાની પુષ્ટિ

થઈ છે. ઘૂસણખોરોને મદદ કરવાની શંકાના આધારે, એક સ્થાનિક ગાઇડની ધરપકડ કરવામાં આવી

હતી. ત્યારબાદની શોધખોળ કામગીરીમાં શસ્ત્રો, વિસ્ફોટકો અને અન્ય યુદ્ધ જેવી સામગ્રી મળી આવી હતી. ધરપકડ

કરાયેલા માર્ગદર્શકની પૂછપરછ કરવામાં આવી રહી છે.”

ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે,” ઘટના બાદ દેખરેખ

વધારી દેવામાં આવી છે અને નિયંત્રણ રેખા પર, વધારાના વ્યૂહાત્મક સંસાધનો તૈનાત

કરવામાં આવ્યા છે. પૂંછ અને રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande