મણિપુરના ચુરાચંદપુરમાં, ચાર લોકોની ગોળી મારીને હત્યા
ચુરાચંદપુર, (મણિપુર), નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) મણિપુરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા, ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોમવારે બપોરે જિલ્લાના મોંગજાંગ ગામ નજીક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં
મણિપુરના ચુરાચંદપુરમાં, ચાર લોકોની ગોળી મારીને હત્યા


ચુરાચંદપુર, (મણિપુર), નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.)

મણિપુરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા, ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી

હતી. સોમવારે બપોરે જિલ્લાના મોંગજાંગ ગામ નજીક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં

આવેલા ગોળીબારમાં, 60 વર્ષીય મહિલા

સહિત ચાર લોકોના મોત થયા હતા. સ્થાનિક પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ સમગ્ર

મામલાની તપાસ કરી રહી છે.

ચુરાચંદપુર પોલીસના જણાવ્યા અનુસાર,”હુમલાખોરોએ બપોરે

2 વાગ્યાની આસપાસ

હુમલો કર્યો ત્યારે, પીડિતો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટના સ્થળ મોંગજાંગના

ચુરાચંદપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ સાત કિમી દૂર છે.”

પોલીસની પ્રારંભિક તપાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે,”

હુમલાખોરોએ પીડિતોને ખૂબ નજીકથી ગોળી મારી હતી. ઘટનાસ્થળ પરથી એક ડઝનથી વધુ ખાલી

કારતૂસ મળી આવ્યા છે, જે ઓટોમેટિક

હથિયારોનો ઉપયોગ દર્શાવે છે.”

મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. અત્યાર સુધી કોઈ આતંકવાદી

સંગઠન કે જૂથે હત્યાઓની જવાબદારી સ્વીકારી નથી.

ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં, વધારાના પોલીસ દળ

સાથે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગુનેગારોને શોધવા માટે પોલીસ દ્વારા

ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande