1 જુલાઈથી રેલવે ભાડું વધશે, બધી શ્રેણીઓમાં નવા દર લાગુ થશે
નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી હવે થોડી મોંઘી થશે. કેન્દ્ર સરકારે 1 જુલાઈથી રેલવે ભાડામાં વધારાની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયે સોમવારે આ નિર્ણય લીધો હતો કે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓમાં ભાડાને તર
ીાત


નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી હવે થોડી

મોંઘી થશે. કેન્દ્ર સરકારે 1 જુલાઈથી રેલવે ભાડામાં વધારાની જાહેરાત કરી છે. રેલવે

મંત્રાલયે સોમવારે આ નિર્ણય લીધો હતો કે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓમાં ભાડાને

તર્કસંગત બનાવીને સુધારેલા ભાડા લાગુ કરવામાં આવશે. આ ફેરફાર ઇન્ડિયન રેલ્વે

કોન્ફરન્સ એસોસિએશન (આઈઆરસીએ) દ્વારા પ્રકાશિત નવા પેસેન્જર ભાડા કોષ્ટક અનુસાર હશે.

સરકારે સ્પષ્ટતા કરી હતી કે,” ઉપનગરીય ટ્રેનોની સિંગલ જર્ની ટિકિટ અને સીઝન ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર

કરવામાં આવ્યો નથી. જોકે,

અન્ય શ્રેણીઓમાં

થોડો વધારો કરવામાં આવ્યો છે. સેકન્ડ ક્લાસ, સ્લીપર અને ફર્સ્ટ ક્લાસ જેવી નોન-એસી શ્રેણીઓમાં ભાડા અડધા

પૈસાથી વધારીને એક પૈસા પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યા છે. તે જ સમયે, મેઇલ અને

એક્સપ્રેસ ટ્રેનોની નોન-એસી શ્રેણીઓમાં પણ પ્રતિ કિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં

આવ્યો છે.”

એસી ચેર કાર, એસી થ્રી-ટાયર, ટુ-ટાયર, એસી ફર્સ્ટ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં પ્રતિ કિલોમીટર

બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દરો 01 જુલાઈથી લાગુ થશે. આનાથી તેજસ, રાજધાની, વંદે ભારત, શતાબ્દી, દુરંતો, હમસફર, અમૃત ભારત, મહાન, ગતિમાન, ગરીબ રથ, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, અનુભૂતિ અને એસી

વિસ્ટાડોમ કોચ જેવી વિશેષ ટ્રેનોમાં મુસાફરી પણ મોંઘી થશે. જોકે, રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ ચાર્જ

અને જીએસટીજેવા અન્ય

ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવું ભાડું, પહેલાથી બુક કરાયેલી ટિકિટો

પર લાગુ થશે નહીં અને તેમના મુસાફરો પાસેથી, કોઈ વધારાની રકમ વસૂલવામાં આવશે નહીં, પરંતુ નવું ભાડું

01 જુલાઈથી બુક

કરાયેલી બધી ટિકિટો પર લાગુ થશે. જ્યારે ટીટીઈટ્રેનમાં અથવા

સ્ટેશન પર ટિકિટ બનાવે છે,

ત્યારે પણ નવા

ભાડા મુજબ ફી વસૂલવામાં આવશે.

રેલ્વે બોર્ડે તમામ ઝોનલ રેલ્વેને નિર્દેશ આપ્યો છે કે,”

તેઓ સંબંધિત સ્ટાફને નવું ભાડું ટેબલ સમયસર ઉપલબ્ધ કરાવે અને સ્ટેશનો પર પ્રદર્શિત

ભાડા યાદીમાં પણ સુધારો કરે. આ ઉપરાંત, મુસાફરોને આ ફેરફાર વિશે માહિતી આપવા માટે મીડિયા, પ્રેસ અને સ્ટેશન

જાહેરાતો દ્વારા વ્યાપક પ્રચાર કરવા પણ સૂચના આપવામાં આવી છે. રેલ્વે બોર્ડના

ડિરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ કોઓર્ડિનેશન) પ્રવીણ કુમારના જણાવ્યા અનુસાર, બધા ઝોનલ રેલ્વેએ

ખાતરી કરવી પડશે કે, આ નવી સિસ્ટમ યોગ્ય રીતે લાગુ કરવામાં આવે અને બધા કર્મચારીઓ

તેને સારી રીતે સમજે અને તેનું પાલન કરે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande