રાષ્ટ્રપતિ આજે અને કાલે યુપીમાં, ઉપરાષ્ટ્રપતિ આજે રાજસ્થાનમાં
નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે (30 જૂન - 1 જુલાઈ) ઉત્તર પ્રદેશના, બરેલી અને ગોરખપુરના પ્રવાસે રહેશે. આ સમય દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓના કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ કાર્ય
મુર્મુ


નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે (30 જૂન - 1 જુલાઈ) ઉત્તર

પ્રદેશના, બરેલી અને ગોરખપુરના પ્રવાસે રહેશે. આ સમય દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક

અને આરોગ્ય સંસ્થાઓના કાર્યક્રમોમાં ભાગ લેશે અને ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ

કરશે. આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિ

જગદીપ ધનખડ આજે રાજસ્થાનના પ્રવાસે રહેશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય

(પીઆઈબી) દ્વારા એક પ્રેસ

રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

પીઆઈબીના અનુસાર,”રાષ્ટ્રપતિ મુર્મુ આજે બરેલીમાં ભારતીય પશુચિકિત્સા સંશોધન

સંસ્થા (આઈવીઆરઆઈ) ના 11મા દીક્ષાંત

સમારોહની અધ્યક્ષતા કરશે. આ પછી તેઓ ગોરખપુર જશે. ત્યાં તેઓ ઓલ ઈન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ગોરખપુરના પ્રથમ દીક્ષાંત સમારોહને પણ સંબોધિત કરશે.”

રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે,” રાષ્ટ્રપતિ 1 જુલાઈના રોજ

ગોરખપુરમાં મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ મહાયોગી

ગોરખનાથ યુનિવર્સિટીની મુલાકાત લેશે, જ્યાં તેઓ યુનિવર્સિટીના ઓડિટોરિયમ, શૈક્ષણિક બ્લોક

અને પંચકર્મ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તેઓ એક નવી છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ)નો

શિલાન્યાસ પણ કરશે.”

પીઆઈબીના અનુસાર,”ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે રાજસ્થાનની રાજધાની જયપુરની

મુલાકાત લેશે. આ દરમિયાન,

તેઓ રાજસ્થાન

સંવિધાન ક્લબ, જયપુર ખાતે

આયોજિત 'સ્નેહ મિલન

સમારોહ'માં ભાગ લેશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande