નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર
સર્વસંમતિ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. ભારતના વેપાર
પ્રતિનિધિમંડળે સમયમર્યાદા પહેલાં મતભેદોને ઉકેલવાના છેલ્લા પ્રયાસમાં
વોશિંગ્ટનમાં, પોતાનો રોકાણ લંબાવ્યો છે. ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય
વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળની એક ટીમ આ સોદા માટે
વોશિંગ્ટનમાં છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ 90 દિવસનો વૈશ્વિક
ટેરિફ પરનો પ્રતિબંધ 9 જુલાઈના રોજ
સમાપ્ત થઈ રહ્યો છે. આનાથી વિશ્વભરના દેશોની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય વાણિજ્ય
અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 10 જૂને, જ્યારે વાટાઘાટો સમાપ્ત થઈ ત્યારે કહ્યું હતું કે,” ભારત
અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર સોદા પર વાટાઘાટો કરી રહ્યા છે, જેનાથી બંને
અર્થતંત્રોને ફાયદો થશે.”
હકીકતમાં, ભારત ઇચ્છે છે કે, પ્રસ્તાવિત 26 ટકા ડ્યુટી પાછી
ખેંચી લેવામાં આવે અને સ્ટીલ અને ઓટો પાર્ટ્સ પર પહેલાથી જ લાદવામાં આવેલી યુએસ
ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ અમેરિકા સૌ પ્રથમ ભારત પાસેથી સોયાબીન, મકાઈ, કાર અને વાઇન પર
આયાત જકાત ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને હળવા કરવા માટે પ્રતિબદ્ધતા ઇચ્છે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે કહ્યું
હતું કે,” તેઓ 9 જુલાઈથી વધુ
વૈશ્વિક જકાત પર 90 દિવસના
પ્રતિબંધને લંબાવવાની યોજના બનાવી રહ્યા નથી.”
આ પહેલા, અમેરિકાએ 2 એપ્રિલે ભારતથી આવતા માલ પર 26 ટકા વધારાનો
જકાત લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે તેને 90 દિવસ માટે
મુલતવી રાખ્યો હતો. જોકે,
10 ટકાનો મૂળભૂત કર હજુ પણ લાગુ છે. ભારત આ 26 ટકા વધારાના કરમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માંગે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ