હૈદરાબાદમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, છ કામદારોના મોત
હૈદરાબાદ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) સોમવારે સવારે સંગારેડ્ડી જિલ્લાના પશમિલારામ ઔદ્યોગિક વિસ્તારમાં, સિગાચી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. આ અકસ્માતમાં પાંચ કામદારોના ઘટનાસ્થળે જ મો
આગ


હૈદરાબાદ, નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) સોમવારે સવારે સંગારેડ્ડી

જિલ્લાના પશમિલારામ ઔદ્યોગિક વિસ્તારમાં, સિગાચી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રચંડ

વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ

લાગી હતી. આ અકસ્માતમાં પાંચ કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે 20 કામદારો ગંભીર

રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક ઘાયલનું મોત નીપજ્યું

હતું. તમામ છ મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

સંગારેડ્ડી જિલ્લા કલેક્ટર પ્રવીન્યા અને એસપી પરિતોષે,

સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને રાહત પગલાં અંગે ઘણા સૂચનો આપ્યા

હતા. અકસ્માત સમયે 100 થી વધુ કામદારો

શિફ્ટમાં હતા. તેમણે કહ્યું હતું કે,” અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને, ચંદનનગર અને

ઇસ્નાપુરની ખાનગી હોસ્પિટલોમાં, દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત

ગંભીર છે. 11 ફાયર એન્જિન

સાથે, ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી

રહ્યા છે. રાજ્ય મહેસૂલ, એનડીઆરએફનીટીમો, ઘટનાસ્થળે

પહોંચી ગઈ છે.”

અકસ્માતના સમાચાર મળતા જ કામદારોના પરિવારના સભ્યો,

ફેક્ટરીની બહાર ભેગા થઈ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની સલાહ

આપી હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અકસ્માતના કારણની તપાસ

શરૂ કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, “ઉદ્યોગમાંથી

તીવ્ર દુર્ગંધ આવી રહી છે. તેના કારણે આસપાસના વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો

કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ફેક્ટરી અને

આસપાસના વિસ્તારને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande