ઉત્તરાખંડમાં, ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો
દહેરાદૂન, નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.) ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા છેલ્લા 24 કલાકથી મુલતવી રાખવામાં આવી હતી. હવે ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવામાનને ધ્યાનમાં રાખીને, યાત્રા માર્ગ પર
બોૂીો


દહેરાદૂન, નવી દિલ્હી, ૩૦ જૂન (હિ.સ.)

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા છેલ્લા 24 કલાકથી મુલતવી રાખવામાં

આવી હતી. હવે ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હવામાનને ધ્યાનમાં

રાખીને, યાત્રા માર્ગ પર

વાહનો રોકવાની સૂચના આપવામાં આવી છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ આ

માહિતી આપી.

કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે,” ચારધામ યાત્રા

પરનો 24 કલાકનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.” તેમણે કહ્યું કે,” યાત્રાના

માર્ગ પર આવતા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને, તેમના સંબંધિત જિલ્લાઓમાં હવામાન

પરિસ્થિતિઓના આધારે, વાહનોને રોકવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.”

ગઢવાલ કમિશનરે જણાવ્યું હતું કે,” વર્તમાન હવામાન

પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, મુસાફરોના જાન અને માલની સુરક્ષા માટે સાવચેતીનાં પગલાં

લેવામાં આવી રહ્યા છે. જેથી માર્ગો પર ફસાયેલા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય અને

તેમને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ શકાય.”

ઉલ્લેખનીય છે કે, રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની

શક્યતાને ધ્યાનમાં રાખીને,

ચારધામ યાત્રા

આગામી 24 કલાક માટે મુલતવી રાખવામાં આવી હતી. મુસાફરો અને લોકોની સલામતી માટે, પોલીસ અને વહીવટી

અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ અને

વિકાસનગરમાં યાત્રાળુઓને રોકવાની સૂચના આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande