સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે એકદિવસીય તાલીમ યોજાઇ
ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા તા.૦૩-૦૬-૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના તમામ વહીવટી સ્ટાફ માટે એક દિવસીય તાલીમનું આયોજન થયું. આ તાલીમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.ડી. એમ. મોકરીયા તથા મુખ્ય વક્તા તર
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા


ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.)

સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા તા.૦૩-૦૬-૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના તમામ વહીવટી સ્ટાફ માટે એક દિવસીય તાલીમનું આયોજન થયું. આ તાલીમના અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.ડી. એમ. મોકરીયા તથા મુખ્ય વક્તા તરીકે અત્રેના કા.કુલસચિવ અને મુખ્ય હિસાબી અધિકારી હર્ષદકુમાર એચ. પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત પરીક્ષા નિયામક ડૉ. યોગેશકુમાર પટેલ, નાયબ કુલસચિવ ડૉ.દશરથ જાદવ, ગ્રંથપાલ રવીન્દ્ર કાળે, સંશોધન અધિકારી ડૉ.કાર્તિક પંડ્યા સહિત અત્રેની યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ/વહીવટી સ્ટાફ મળી ખૂબ ઉત્સાહથી તાલીમમાં ભાગ લીધો હતો. મુખ્ય વક્તા હર્ષદકુમાર એચ. પરમાર દ્વારા કચેરી કાર્યપદ્ધતિ, ફાઈલ પદ્ધતિ, ગુજરાત સરકારના વહીવટી તેમજ હિસાબી ઓડીટ પેરા લગત ઘણી બાબતોને ધ્યાને લઈ સંબંધિત વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમનું આયોજન સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હતું અને તાલીમનું સત્ર-સંચાલન અત્રેના નાયબ કુલસચિવ ડૉ.દશરથ જાદવે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande