જુનાગઢ 4 જૂન (હિ.સ.) સૌરાષ્ટ્ર અને સોરઠમાં કથાકાર તરીકે પ્રખર ચાહના મેળવેલ મુળ માળીયાહાટીના ના શાસ્ત્રી અને લોહાણા જ્ઞાતિના સારસ્વત બ્રાહ્મણ ભાગવત કથાકાર કેતનભાઇ રમણીકભાઈ પેરાણી ના પુત્ર ચી જય ના શુભ લગ્ન લાલપુર ની ચી તેજલ સાથે થતા નવદંપતી ને આશીર્વાદ આપવા તેમજ યજમાનો, જ્ઞાતિજનો, રાજકીય આગેવાનો, સમાજ શ્રેષ્ટીઓ વેપારી આગેવાનો, સ્નેહીજનો મિત્રોને પરિવાર સહિત આ શુભ ઘડી પર પેરાણી પરિવારના આંગણે આશીર્વાદ આપવા પધારેલ.
ઉના મહાજન થી લઈ અને મુંબઈ સુધીના ગામોથી પધારેલ મહાનુભવોનોએ પેરાણી પરિવારના પ્રસંગને દીપાવા 100 વધુ લોહાણા મહાજનો ઉપસ્થિત રહેલ આ તકે વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, કારોબારી જીતુભાઈ ખખ્ખર કેતનભાઈ રઘુવંશી મંડપ અનિષ રાચ્છ સહિતનાઓએ પરિવાર સાથે નવદંપત્તિઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ