નવસારી, 4 જૂન (હિ.સ.)-આઈપીએલ 2025ની રોમાંચક ફાઈનલમાં RCBની ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જોકે ગુજરાતના નવસારીમાં ઉત્સાહ અતિશય બની જતા જાહેર માર્ગ પર ઉજવણી દરમ્યાન હુલ્લડબાજી થઇ હતી.
વિરાટ કોહલીના નેતૃત્વમાં RCBએ 18 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું, જેને લઈ દેશભરમાં ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો. નવસારીમાં પણ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરી ભવ્ય ઉજવણી શરૂ કરી હતી. પરંતુ ટોળા દ્વારા ટ્રાફિક અવરોધ થતો હોવાથી પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસના આવિગમ બાદ ટોળામાંથી કેટલાક યુવાનોએ વિરોધ કરતાં પોલીસકર્મીઓ અને હોમગાર્ડ સાથે ઘર્ષણ થયું. જાતે રસ્તા પરથી જ ટોળાને હટાવવાના પ્રયાસમાં કેટલાક યુવાનોએ ધક્કમુક્કી કરી હોમગાર્ડને ધક્કા મારી દીધા હતા. ઘટના દરમિયાન ઉગ્ર બોલાચાલી અને ચડાસભર વાતાવરણ સર્જાયું હતું.
પોલીસે હાલ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, જાહેર માર્ગ પરનો હુલ્લડો અને પ્રશાસન સામે દેખાડવામાં આવેલો વિરોધ કાયદાકીય પ્રક્રિયામાં પરિણમે તેવી શક્યતા છે. તંત્રે જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે