ફૂલપૂરા ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ
પાટણ, 6 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપૂરા ગામે આગામી 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ગામમાં હિંદુ સમુદાયના 600થી વધુ મતદારો અને મુસ્લિમ સમુદાયના માત્ર 40 મતદારો હોવા
ફૂલપૂરા ગામે કોમી એકતાનું અનોખું ઉદાહરણ


પાટણ, 6 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફૂલપૂરા ગામે આગામી 22 જૂને યોજાનારી 380 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક અનોખું અને પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ગામમાં હિંદુ સમુદાયના 600થી વધુ મતદારો અને મુસ્લિમ સમુદાયના માત્ર 40 મતદારો હોવા છતાં, ગામના તમામ લોકોએ સર્વસંમતિથી શરીફાબાનુ જાહિદખાનને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા છે.

જારૂસા જૂથ ગ્રામપંચાયતમાંથી વિભાજન થયા બાદ ફૂલપૂરા ગામમાં આ પ્રથમ ચૂંટણી છે. ભાઈચારો જાળવી રાખવા અને કોઈ પણ પ્રકારના મતભેદ કે વિવાદ ટાળવા માટે ગામના લોકોએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ કારણે ગ્રામપંચાયત સંપૂર્ણ સમરસ બની છે.

આ ઘટના એ સાબિત કરે છે કે ફૂલપૂરા ગામના લોકો જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને સહઅસ્તિત્વ અને વિકાસ માટે એક જુઠ થઈ આગળ વધવા તૈયાર છે. ગુજરાત માટે આ કોમી એકતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande