નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.) દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાએ ચિંતા વધારી દીધી
છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એલર્ટ પર છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર,”આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં
કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 6133 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 379 નવા દર્દીઓ આવ્યા અને છ દર્દીઓના મોત થયા. મૃતકોમાં
કર્ણાટકના બે, કેરળના ત્રણ અને
તમિલનાડુનો એક છે.”
કેરળમાં સૌથી વધુ સક્રિય કેસ 1950 છે, ત્યારબાદ
ગુજરાતમાં 822 થી વધુ કેસ
નોંધાયા છે. આ પછી, દિલ્હી, જ્યાં 686 સક્રિય કેસ
નોંધાયા છે. આનું કારણ કોરોના એનબી.1.8.1 અને એલએફ.7ના પ્રકારો, હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેએન.1 હજુ પણ પ્રમુખ સ્ત્રેન
બનેલ છે. આરોગ્ય અધિકારીઓએ, લોકોને શાંત રહેવા અને ભીડવાળી જગ્યાએ સ્વચ્છતા જાળવવા
ચેતવણી આપી છે. જે પુખ્ત વયના લોકો પહેલાથી જ કોઈ રોગ ધરાવે છે, તેમને વાયરસનું
જોખમ વધારે હોઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ