નવી દિલ્હી, 9 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે નમો એપ પર છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રા પર સર્વેમાં ભાગ લેવા સૌને વિનંતી કરી.
પીએમ મોદીએ સેવાના 11 વર્ષ # હેશટેગ સાથેની પોસ્ટમાં કહ્યું કે, તમારા મંતવ્યો સૌથી મહત્વપૂર્ણ છે. નમો એપ પર આ સર્વેમાં ભાગ લો અને અમને જણાવો કે તમે છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાને કેવી રીતે જુઓ છો.
પ્રધાનમંત્રીએ, નમો એપ પર સર્વેની લિંક શેર કરી છે જ્યાં કોઈપણ વ્યક્તિ ભારતની વિકાસ યાત્રા પર પોતાના મંતવ્યો શેર કરી શકે છે. આ સર્વે છેલ્લા 11 વર્ષમાં ભારતની વિકાસ યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ જન મન સર્વેનો પણ ઉલ્લેખ કર્યો છે, જે ભારતની વિકાસ યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સર્વે દ્વારા, સરકાર લોકોના મંતવ્યો અને સૂચનો જાણવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે આજે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદીએ 26 મે 2014 ના રોજ પહેલી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. તેમણે 30 મે 2019 ના રોજ બીજી વાર અને 9 જૂન 2024 ના રોજ ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ