નવી દિલ્હી, 9 જૂન (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક ભગવાન બિરસા મુંડાને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રીએ પોસ્ટમાં કહ્યું, સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક ભગવાન બિરસા મુંડાજીને તેમના બલિદાન દિવસ પર આદર પૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે આદિવાસી ભાઈઓ અને બહેનોના કલ્યાણ અને તેમના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.
ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા મુંડા, એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ થયો હતો અને 9 જૂન 1900 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે લડ્યા અને બ્રિટિશ શાસન સામે બળવો કર્યો. ભગવાન બિરસા મુંડાએ, સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ