પોરબંદર, 9 જૂન (હિ.સ.) :
પોરબંદરમાં એક યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે એરેરાટી વ્યાપી ગઇ હતી પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમા રહેતા હસમુખ મનસુખ ચાંડપા (ઉ.વ 24)નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવને લઇ ભારે ગમગીની છવાઇ ગઇ હતી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કિર્તિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya