પોરબંદર કુતિયાણામા હડકાયા શ્વાનનો આતંક, 12 લોકોને બચકા ભરી લીધા
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમા પણ લોકોને બચકા ભરી લેવાની ઘટના બને છે. ત્યારે કુતિયાણા શહેરમાં આજે હડકાયા શ્વાને 12 જેટલા લોકોને બચકા ભરી લેતા ભયનો મહોલ જોવા મળ્યા હતો. ઇજાગ્રસ્ત
પોરબંદર કુતિયાણામા હડકાયા શ્વાનનો આતંક,12 લોકોનુ બચકા ભરી લીધા


પોરબંદર કુતિયાણામા હડકાયા શ્વાનનો આતંક,12 લોકોનુ બચકા ભરી લીધા


પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદર શહેર અને જીલ્લામા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમા પણ લોકોને બચકા ભરી

લેવાની ઘટના બને છે. ત્યારે કુતિયાણા શહેરમાં આજે હડકાયા શ્વાને 12 જેટલા લોકોને બચકા ભરી લેતા ભયનો મહોલ જોવા મળ્યા હતો.

ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યા હતા કુતિયાણા શહેરમા આમ પણ શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રવિવારે વહેલી સવારે ગાંધી રોડ પર એક હડકાયુ શ્વાન આવી ચડયુ હતુ જેને પગલે ભારે ભાગ દોડ મચી ગઇ હતી એક પછી એક એમ બાર લોકોને બચકા ભરી લેતા ભારે ભય ફેલાયો હતો, જેમા એક મહિલાને આંખના ભાગે બચકા ભરી લીધા હતા. એક સાથે બાર લોકોને બચકા ભરી લેતા તમામને સારવાર માટે કુતિયાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, ત્યાં સારવાર આપી કેટલાક લોકોને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. કુતિયાણા શહેરમા હડકાયા શ્વાનના આતંકને પગલે ભયનો મહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande