ઇન્દોર, નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.)
લગ્ન પછી હનીમૂન માટે મેઘાલય ગયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા
રઘુવંશીની પત્ની સોનમ દ્વારા, હત્યા કરવામાં આવી. પોલીસે સોનમને ઉત્તર પ્રદેશના
ગાઝીપુરના એક ઢાબા પરથી પકડી છે. તેના સિવાય ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં
આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ એક્સપોસ્ટ પર આ વાતની
પુષ્ટિ કરી હતી.
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ, આજે સવારે એક્સપોસ્ટમાં
જણાવ્યું હતું કે,” રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસને સાત દિવસમાં મોટી સફળતા મળી
છે. મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ આત્મસમર્પણ
કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.”
નોંધનીય છે કે. રાજા અને સોનમ રઘુવંશીના લગ્ન 11 મેના રોજ
ઇન્દોરમાં થયા હતા. તેઓ 20 મેના રોજ હનીમૂન માટે નીકળ્યા હતા. બંને ઇન્દોરથી
બેંગલુરુ થઈને ગુવાહાટી પહોંચ્યા હતા.જ્યાં માં કામાખ્યાના દર્શન કર્યા પછી, તેઓ 23 મેના રોજ
મેઘાલયના શિલોંગ જવા રવાના થયા હતા. શરૂઆતમાં, પરિવાર બંને સાથે વાત કરતો રહ્યો, પછી સંપર્ક તૂટી
ગયો. રાજાના મોટા ભાઈ સચિન રઘુવંશીને પહેલા લાગ્યું કે, નેટવર્કની સમસ્યા હશે, પરંતુ 24 મેથી, જ્યારે બંનેના
મોબાઈલ બંધ થઈ ગયા, ત્યારે તે ચિંતા
કરવા લાગ્યો. ઘણા પ્રયાસો પછી, જ્યારે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં, ત્યારે સોનમનો
ભાઈ ગોવિંદ અને રાજાનો ભાઈ વિપિન શિલોંગ પહોંચ્યા. આ પછી, તેઓ શોધ ટીમમાં
જોડાયા.
23 મેના રોજ ગુમ થયેલા દંપતીના પતિ રાજા રઘુવંશીનો મૃતદેહ, 2
જૂનના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં ધોધ પાસે એક ઊંડા
ખાડામાંથી મળી આવ્યો હતો. સોનમ 17 દિવસથી ગુમ હતી. કહેવામાં આવી રહ્યું છે કે,”
સોનમ રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે ગાઝીપુરના એક ઢાબા પર પહોંચી હતી અને અહીંથી
તેણે તેના ભાઈ ગોવિંદને ફોન કર્યો હતો. ગોવિંદે ગાઝીપુરથી તેના પરિચિતને ત્યાં
મોકલ્યો હતો. આ પછી, તેણે સોનમ સાથે
ફોન પર વાત કરાવી હતી. જોકે, સોનમ ગાઝીપુર કેવી રીતે પહોંચી તે હજુ સુધી સ્પષ્ટ નથી.
પોલીસ હવે સોનમને ટૂંક સમયમાં ઇન્દોર લાવી શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ