(અપડેટ) હરિદ્વારમાં માનસા દેવી માર્ગ પર ભાગદોડમાં 6 લોકોના મોત, 25 થી વધુ ઘાયલ, રાહત અને બચાવ કામગીરી ચાલુ
હરિદ્વાર, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). રવિવારે સવારે હરિદ્વારમાં માનસા દેવી મંદિર રોડ પર ભાગદોડમાં 6 લોકોના મોત અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી પુષ્ક
માનસા દેવી મંદિર રોડ પર ભાગદોડ


હરિદ્વાર, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). રવિવારે સવારે હરિદ્વારમાં માનસા દેવી મંદિર રોડ પર ભાગદોડમાં 6 લોકોના મોત અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

કમિશનર ગઢવાલ ડિવિઝન વિનય શંકર પાંડેના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 9.30 વાગ્યે મનસા દેવી મંદિર રોડ પર ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને 12 ઘાયલોને સરકારી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફ ની ત્રણ ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.

પોલીસ અને વહીવટી ટીમો સાથે એસડીઆરએફ ની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, એસડીઆરએફ, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ સંદર્ભમાં, અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અકસ્માત બાદ, એસએસપી પ્રમોદ સિંહ ડોભાલ અને ડીએમ મયુર દીક્ષિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ પણ જોઈ હતી.

એવું કહેવાય છે કે, આજે સવારે મનસા દેવી મંદિર રોડ પર અચાનક હાઈ વોલ્ટેજ વીજળીનો તાર તૂટી પડવાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, જે વધતી જતી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ ડૉ. રજનીકાંત શુક્લા

હિન્દુસ્તાન સમાચાર/ સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande