ગંગઈકોંડા ચોળપુરમ (અરિયાલુર), 27 જુલાઈ (હિ.સ.) – તમિલનાડુના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગઈકોંડા ચોળપુરમ ખાતે આયોજિત ત્રિવળી ઉત્સવમાં ભાગ લીધો અને રાજેન્દ્ર ચોળની છબી ધરાવતો એક વિશેષ સ્મૃતિ સિક્કો જારી કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુમાં ઐતિહાસિક ચોળ સામ્રાટ રાજેન્દ્ર ચોળ પ્રથમને શ્રદ્ધાંજલિ આપતા તેમના સન્માનમાં આ વિશેષ સિક્કો બહાર પાડ્યો। આ સિક્કો રાજેન્દ્ર ચોળના મહાન યોગદાન અને ભારતના વૈભવશાળી ઇતિહાસને માન આપવાનો એક પ્રયાસ છે..
આ વિશિષ્ટ પ્રસંગે વડાપ્રધાને રાજેન્દ્ર ચોળના યોગદાનને યાદ કરતાં કહ્યું કે રાજેન્દ્ર ચોળ માત્ર તમિલનાડુ માટે નહીં, પણ સમગ્ર ભારતના સામરિક તથા સાંસ્કૃતિક ઇતિહાસના મહાન શાસક રહ્યા છે.
હકીકતમાં, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા અરિયાલુર જિલ્લાના ગંગઈકોંડા ચોળપુરમના બૃહદ્દેશ્વર મંદિરમાં ભવ્ય ત્રિવળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ “આદિ તિરુપતિરાય ઉત્સવ, રાજેન્દ્ર ચોળની જયંતી, ગંગઈકોંડા બૃહદ્દેશ્વર મંદિરના નિર્માણની 1000મી વર્ષગાંઠ અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો પર ચોળો દ્વારા આક્રમણની 1000મી વર્ષગાંઠ” છે.
કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ સંગીતકાર ઇલૈયારાજાએ એક આધ્યાત્મિક કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં સૌથી પહેલા ફિલ્મ ‘નાન કદવુલ’નું પ્રખ્યાત ગીત ‘ઓમ શિવોહમ’ વગાડવામાં આવ્યું, જેને વડાપ્રધાને તાળીઓ પાડી આનંદ લીધો.
વડાપ્રધાને રાજેન્દ્ર ચોળની છબી ધરાવતો સિક્કો જારી કર્યા પછી તમિલમાં “વનકમ ચોળામંડલમ” કહીને પોતાનું ભાષણ શરૂ કર્યું। વડાપ્રધાને તિરુવાસકમનું ગીત “નમાચિવાય વઝગા, નાથન તિત વઝગા” ગાઈને તેમના સંબોધનની શરુઆત કરી।
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ