નવસારી, 3 જુલાઈ (હિ.સ.)- ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના રાણી ફળીયા પ્રાથમિક શાળા , ખેરગામ તાલુકા આછવણી રામેશ્વર મંદિર,ચીખલી તાલુકા સાદકપોર પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના ખડસુપા પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વાંસદા તાલુકાના હનુમાનબારી - રાણી ફળીયા - નાની ભમતી – ચીકટીયા -જામલીયા – વણારસી -દુબળ ફળીયા - ઉપસળ , ખેરગામ તાલુકાના આછવણી - જામનપાડા - પાણીખડક - નડગધરી – પંણજ , ચીખલી તાલુકાના પીપલગભાણ –સાદકપોર-ખાંભડા – સાદડવેલ અને નવસારી તાલુકાના ઉન -ખડસુપા ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેમ્પમાં ભાગ લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે