જૂનાગઢ, 3 જુલાઈ (હિ.સ.) નાલસા તથા એમસીપીસી દ્વારા મીડિયેશન ફોર ધ નેશન ૯૦ દિવસની મીડિયેશન ડ્રાઇવ એટલે કે મધ્યસ્થીકરણ ઝુંબેશ તારીખ ૧ જુલાઈથી સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં યોજાશે.
જેમા સમગ્ર રાજયની તાલુકા કાર્ટ, ડિસ્ટ્રીકટ કોર્ટ, તથા હાઈકોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખો સમાધાન લાવવાના પ્રયત્નો કરવામાં આવનાર છે. આ ઝુંબેશ અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્નો કરવાના રહેશે.
જેથી તમામ પક્ષકારોને વિનંતી છે કે, તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમા આવતા હોય જેવા કે લગ્નજીવનની તકરારોને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ખોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો, અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પુર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મૂકવાના પ્રયત્નો કરવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી બી.આર. ગવાઈ તથા ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કારોબારી અધ્યક્ષ નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ અભિયાન યોજવામાં આવેલ છે.
આમ, સમગ્ર જનતાને અભિયાનનો લાભ લેવા માટે તેમજ પોતાના કેસ જે કોઈ કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોના મધ્યસ્થીકરણ થી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સહકાર આપવા વિનંતી છે. જેથી સમગ્ર જનતાને આ મધ્યસ્થીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લાભ મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ