ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) આથી સર્વે ખેડૂત મિત્રોનેજી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા મૂકામેટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. સુત્રાપાડા મૂકામે ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા દરેક ખેડુત મિત્રો આ યોજનાનો લાભ લે, તેવો અનુરોધ એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા ્દ્વાર કરવામાં આવે છે.
૧ હેક્ટર જમીનમાં ૨૦૦ બાગાયતી રોપા મળવાપાત્ર રહેશે.
દરેક ખાતેદાર ખેડૂત એ નીચે મુજબના ડોક્યુમેન્ટ ફરજીયાત લાવવાના રહેશે.અને સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.
નીચે મુજબના ડોક્યુમેન્ટ પૂરતા નહી હોય તો માલ મળવાપાત્ર રહેશ નહીં. જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી.*
(૧)-૭/૧૨/૮અ ની નકલ ઓરિજનલ
(૨)-આધાર કાર્ડની ઝેરોક્ષ
(૩)-રેશન કાર્ડની ઝેરોક્ષ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ