જૂનાગઢમાં મહોરમના તહેવાર સંદ્રભે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નિમિત્તે ટ્રાફિક નિયમનનું જાહેરનામું
જૂનાગઢ, 4 જુલાઈ (હિ.સ.) મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય આ દરમ્યાજન કાયદો અને વ્યુવસ્થા જાળવવા, ટ્રાફીકમાં કોઇ અવ્યોવસ્થાજ ઉભી ના થાય તે સારૂ અધિક જિલ્લાા મેજીસ્ટ્રે ટ કે.બી.પટેલે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેર
જૂનાગઢમાં મહોરમના તહેવાર  સંદ્રભે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નિમિત્તે ટ્રાફિક નિયમનનું જાહેરનામું


જૂનાગઢ, 4 જુલાઈ (હિ.સ.) મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય આ દરમ્યાજન કાયદો અને વ્યુવસ્થા જાળવવા, ટ્રાફીકમાં કોઇ અવ્યોવસ્થાજ ઉભી ના થાય તે સારૂ અધિક જિલ્લાા મેજીસ્ટ્રે ટ કે.બી.પટેલે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા મુજબ દ્વારા ગિરનાર દરવાજા અને જવાહર રોડ તરફથી આવે તે સેજની ટાંકીથી દિવાનચોક તરફ આવવા માટે પ્રવેશ બંધી, જગમાલ ચોકથી દિવાન ચોક તરફ વાહનોની પ્રવેશબંધી, સુખનાથ ચોકથી સંઘાડીયા બજાર તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, જગમાલ ચોકથી માંડવીચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, છાયા બજારથી દીવાન ચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, માલીવાડા થી દિવાનચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, તથા દાણાપીઠથી સર્કલ ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, ચિતાખાના ચોક થી ઢાલ રોડ તરફ આવવા માટે વાહનોની પ્રવેશબંધી તા.૫/૭/૨૦૨૫ ના રોજ સાંજે ૪.૦૦ કલાક થી તા.૭/૦૭/૨૦૨પનાં ૭.૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનાં કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યનક્તી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande