સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ નવ નિયુક્ત કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ પદભાર ગ્રહણ કર્યો
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જે. એમ. પાનેરા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, માણાવદરના કાર્યકારી પ્રધાનાચાર્ય ડૉ. મહેશકુમાર મેતરાએ સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના નવા કુલસચિવ તરીકે પદભાર ગ્રહણ કર્યો. ત્યાર
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ નવ નિયુક્ત કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ પદભાર ગ્રહણ કર્યો


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) જે. એમ. પાનેરા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, માણાવદરના કાર્યકારી પ્રધાનાચાર્ય ડૉ. મહેશકુમાર મેતરાએ સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના નવા કુલસચિવ તરીકે પદભાર ગ્રહણ કર્યો. ત્યાર બાદ ૧૦ દિવસીય लिपि एवं पाण्डुलिपि विज्ञान પ્રશિક્ષણ કાર્યશાળાનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિરૂપે સવારે ૧૧:૦૦ કલાકે હાજરી આપી.

આ પ્રસંગે યુનિવર્સિટી પરિવાર તરફથી નવ નિયુક્ત કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાના સ્વાગતમાં સમારોહ યોજાઇ ગયો. પોતાના પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા યુનિવર્સિટીના વિકાસમાં સ્વયં સેવક તરીકે જોડાશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande