જૂનાગઢ 8 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જુલાઈ માસના તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ સમય:- સવારના ૧૧:૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના ૫શ્નનો-ફરીયાદો તા. ૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં તાલુકાના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ,મેંદરડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે. અરજીમાં મથાળે મેંદરડા તાલુકા માટેનો 'સ્વાગત' ફરીયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારને અરજી કરતા પહેલાં ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રશ્ન લેખીતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર, એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહીક રજુઆતો નહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ