પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેર અને જિલ્લામા ભારે વરસાદને કારણે ચારોતરફ પાણી ફરી વળ્યા હતા રાણાવાવ તાલુકાના ભોરાસર સીમ શાળા તરફ જતા રસ્તા પરના વોકળા પર પાણી ફરી વળતા સીમ શાળના 46 જેટલા બાળકો, ચાર શિક્ષકો અને બે વાહન ચાલકો શાળામા ફસાયા હતા શાળાના આચાર્ય લાખાભાઈ સુંડવાદરાએ તંત્રને જાણ કરી હતી અને પોલીસની એક ટીમ મદદે પહોંચ હતી પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે રેસ્કયુ કરવુ મુશ્કેલ બન્યુ હતુ અંતે કલેકટર એસ ડી ધાનાણીને જાણ કરતા તેમની સુચનાથી એનડીઆરએફની ટીમી મદદે પહોંચી હતી અને સફળતા પૂર્વક રેસ્કયુ કરી અને બાળકો અને શિક્ષકને બહાર લાવામાં આવ્યા હતા જેને પગલે બાળકોના વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો અને વહિવટી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya