પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના બોખીરા વિસ્તારમા વરસાદી પાણી ફરી વળ્યા હતા ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે બોખીરા વિસ્તારની શેરીઓમાં નદી વહેતી થઈ હતી અનેક મકાનોમા પાણી ઘુસી ગયા હતા જેના કારણે લોકોની મુશ્કેલી વધી હતી આથી આ વિસ્તારના આગેવાન અને પોરબંદર જીલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બોપદરાએ વહિવટી તંત્રને જાણ કરતા પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવ તેમજ મનપા કમિશ્નર એચ જે પ્રજાપતિ સહિતા અધિકારી દોડી ગયા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ બખીરાથી બંદર તરફ જતા રસ્તાને તોડવામા આવ્યો હતો અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya